AsiaCup 2023 – શું ફાઇનલમાં ફરી ભારત-પાકિસ્તાન જોવા મળશે ?

By: nationgujarat
13 Sep, 2023

એશિયા કપ 2023માં ભારતીય ટીમની શાનદાર યાત્રા ચાલુ છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે સુપર-4 રાઉન્ડમાં પાકિસ્તાન બાદ શ્રીલંકાને કારમી હાર આપી હતી. મંગળવારે શ્રીલંકા સામે રમાયેલી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી, જેમાં ભારતીય ટીમે 41 રને જીત મેળવી હતી.આ જીત સાથે ભારતીય ટીમે ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ ટાઈટલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં જ રમાશે. પરંતુ તે પહેલા ભારતીય ટીમને સુપર-4માં તેની ત્રીજી અને છેલ્લી મેચ બાંગ્લાદેશ સામે રમવાની છે. આ મેચ 15 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે.

ભારતીય ટીમ ફાઇનલમાં એકવાર પાકિસ્તાન સામે ટકરાશે. ખરેખર, એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં હવે માત્ર બે મેચ જ બાકી છે. ભારત-બાંગ્લાદેશ મેચના એક દિવસ પહેલા એટલે કે 14મી સપ્ટેમ્બરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે જોરદાર મુકાબલો થશે.આ મેચમાં જે ટીમ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે અને ટાઈટલ મેચમાં ભારતીય ટીમનો સામનો કરશે. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર રોમાંચક મેચ જોવા મળી શકે છે.

જો વરસાદ પડયો તો 

પરંતુ જો પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થાય છે તો તે સ્થિતિમાં બંને ટીમોને 1-1 પોઈન્ટ મળશે. જો મેચ રદ્દ થશે તો બંને ટીમનો નેટ રન રેટ જોવા મળશે. આ સ્થિતિમાં શ્રીલંકા જીતીને સરળતાથી ફાઇનલમાં પ્રવેશ કરશે. કારણ કે શ્રીલંકાની ટીમનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા સારો છે.

તમને જણાવી દઈએ કે આ વખતે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મેચ રમાઈ છે. ગ્રૂપ સ્ટેજની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે પાકિસ્તાન બેટિંગ કરી શક્યું ન હતું.


Related Posts

Load more